પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે ૧૬ ઓક્ટોબરે ૭૫ રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડશે. સયુંકત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (Food and Agriculture Organization)ની ૭૫મી વર્ષગાંઠના અવસરે આ ખાસ સિક્કો બહાર પાડવામાં આવશે. એટલું જ નહીં હાલમાં જ વિક્સિત કરાયેલા આઠ પાકની ૧૭ biofortified varieties પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. ૭૫ રૂપિયાનો આ ખાસ સિક્કો બહાર પાડીને ભારત તથા FAO વચ્ચે મજબૂત સંબંધને દર્શાવવાની યોજના છે.

      આ કાર્યક્રમમાં સરકારનો મુખ્ય ભાર કૃષિ અને પોષણ ક્ષેત્રે રહેશે. આ દરમિયાન દેશમાં કુપોષણને સંપૂર્ણ રીતે ખતમ કરવા અંગે પણ સંકલ્પ લેવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ આયોજનને લઈને નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું. જેમાં કહેવાયું કે નબળા વર્ગો અને જનતાને આર્થિક તથા પોષક રીતે મજબૂત કરવાની યાત્રા ખરેખર શાનદાર રહી. FAOનો લક્ષ્‍યાંક લોકોને પૂરતા પ્રમાણમાં સારી ગુણવત્તાવાળું ભોજન નિયમિત રીતે સુનિશ્ચિત કરવાનું છે જેથી કરીને તેઓ સક્રિય અને સ્વસ્થ રહે. FAOનું કાર્ય પોષણનું સ્તર ઉઠાવવું, ગ્રામીણ જનસંખ્યાનું જીવન સારૂ બનાવવું અને વિશ્વ અર્થવ્યવસ્થાની વૃદ્ધિમાં યોગદાન આપવાનું છે.

      PMO તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે ભારતીય સિવિલ સેવા અધિકારી ડૉ. બિનય રંજન સેન 1956થી 1967 દરમિયાન FAOના ડાઈરેક્ટર જનરલ હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ World Food Programme ની સ્થાપના થઈ હતી. અત્રે જણાવવાનું કે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (WFP) ને આ વખતે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો. વૈશ્વિક સ્તર પર ભૂખ સામે લડવા અને ખાદ્ય સુરક્ષાના પ્રયાસો માટે સંયુક્ત રાષ્ટ્રના આ કાર્યક્રમને સન્માન આપવાની હાલમાં જ જાહેરાત કરાઈ છે. ભારત સરકારના આજના દિવસે ૭૫ રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડવાના ના નિર્ણય લોકોમાં કેટલો આદરભાવ જન્માવશે એ જોવું રહ્યું.