પટણા: બિહાર વિધાનસભા ચુટણી ૨૦૨૦માં તેજસ્વી યાદવ રોજગારનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, ત્યાં જ નિતીશ કુમાર તેજસ્વીનાં આ વાયદાને ચુંટણી પ્રચાર ગણાવી રહ્યા છે, આ બાબતે નિતીશ કુમાર, સિવાય સુશીલ મોદી, જીતન રામ માંઝી સહિતનાં ઘણા નેતાઓ સવાલ ઉઠાવી ચુક્યા છે કે મોટી સંખ્યામાં સરકારી નોકરી ક્યાંથી આવશે, અને તેના માટે તેજસ્વી પૈસા ક્યાંથી લાવશે, મહાગઠબંધન દ્વારા સીએમ પદનાં ઉમેદવાર તેજસ્વી યાદવે સોમવારે યુવા નોકરી સંવાદમાં આ સવાલનો જવાબ આપ્યો હતો અને આ ઉપરાંત પણ ઘણા મુદ્દા પર ચર્ચા કરી હતી.

   બિહારના RJDના ઉભરતા યુવાનેતા તેજસ્વી યાદવે મોટી જાહેરાત કરી હતી કે, સરકારી બજેટનાં ૮૦ હજાર કરોડ રૂપિયા ખર્ચાતા જ નથી, પરંતુ તે પછી પણ જો ૧૦ લાખ યુવાનોને નોકરી આપવા માટે નાણાં ઓછા પડે તો મુખ્ય પ્રધાન સહિત તમામ ધારાસભ્યોનાં પગાર કાપવામાં આવશે. તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં બેરોજગારીનો દર ૪૬.૬૮ છે. બિહારમાં પૈસા ખર્ચવામાં આવતા નથી, તેથી બિહાર પછાત છે. પણ હવે યુવાને રોજગારી મેળવવા માટે ઝાઝી રાહ જોવી નહિ પડે.

   તેજસ્વી યાદવ બિહાર રાજ્યમાં પોતાની દરેક રેલીમાં રોજગાર ઉપરાંત કમાણી, શિક્ષણ અને દવાઓ માટેની વ્યવસ્થા કરવાની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ૪૦ લાખથી વધુ મજૂરો કે જેઓ બહાર ફસાયેલા છે, દેશના દરેક રાજ્યમાં મજૂર કેન્દ્રો સ્થાપવામાં આવશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે, વેપારી સુરક્ષા ટુકડી બનાવાશે જેથી તેઓ ભય મુક્ત વેપાર કરી શકે. હવે આવનારો સમય જ અને લોકોનો નિર્ણય બતાવશે કે ચૂટણીમાં તેજસ્વી યાદવ આવશે કે નહિ જો આવશે તો બિહારમાં રોજગારી લાવશે કે નહિ.