નવી દિલ્હીઃ  હાલમાં દિલ્હી રાજ્યમાં પણ કોરોના વાઈરસ રોગચાળા સંબંધિત પરિસ્થિતિ વધારે વણસી છે અને ગુજરાતમાં તો અંકુશ બહાર જ જતી રહી છે આવી કોરોનાની બેકાબુ બનેલી સ્થિતિની આકરી ટીકા આજે સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી ફટકાર આપી છે અને રાજ્ય સરકારો ને તાકીદ કરી છે કે તેઓ પરિસ્થિતિ પર જલ્દી કાબુ કરી કોરોના સંક્રમણ ઓછુ કરવાનો પ્રયાસ કરે.

આજે સુપ્રીમ કોર્ટે કોરોના સંબંધિત પરિસ્થિતિનો સામનો કરવા કયા પગલાં લેવામાં આવ્યા છે તે વિશે બે દિવસમાં સ્ટેટસ રિપોર્ટ નોંધાવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અશોક ભૂષણની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્ર સરકાર તથા તમામ રાજ્યો સરકારોને આદેશ આપ્યો છે.

ચિત્રલેખાના રીપોર્ટ અનુસાર ન્યાયમૂર્તિઓ આર.એસ. રેડ્ડી અને એમ.આર. શાહે કહ્યું કે ગુજરાતમાં પરિસ્થિતિ અંકુશ બહાર જતી રહી છે. તેમણે કહ્યું કે તમે લગ્ન પ્રસંગની ઉજવણી મોટા પાયે શા માટે કરવા દો છો ? હાલમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે સત્તાવાળાઓએ પગલાં લેવા પડશે નહીં તો ડિસેમ્બરમાં વધારે ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેજો એમ ન્યાયાધીશોએ મહારાષ્ટ્ર વતી હાજર થયેલા લૉયરને જણાવવામાં આવ્યું છે..