વર્તમાન સમયમાં ભારત સરકાર વિરુદ્ધ વિરોધ કરી રહેલા ખેડૂતોને ટેકો આપવાના બહાને ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને ખેડૂત વિરોધી ગણાવતાં તેમણે કહ્યું કે ભાજપ દેશમાં કંપની શાસન સ્થાપિત કરવા મથી રહી છે.

દિલ્લીના ખેડૂત આંદોલનના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ ૮ મી ડિસેમ્બરે રાજ્યમાં ચક્કાજામ કરશે. કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી અને હરિયાણા સરહદ પર વિરોધ કરી રહેલા ખેડુતોને ટેકો આપવાના બહાને ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર હડતાલ પર બેઠેલા કોંગ્રેસના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે કેન્દ્ર અને ગુજરાત સરકાર ખેડૂત વિરોધી છે.

દેશના રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોરોનાથી સંક્રમિત થયેલ ભરતસિંહ સોલંકીને રેકોર્ડ ૧૦૫ દિવસ હોસ્પિટલમાં રહેવુ પડ્યું હતું. કોરોનાની માંદગી દરમિયાન તેમની હાલત ખૂબ ગંભીર બની હતી, પરંતુ તંદુરસ્ત થતાં જ સોલંકી રવિવારે ખેડૂતોના સમર્થનમાં ધરણામાં જોડાયા હતા. સોલંકીએ કહ્યું કે રૂપાણી સરકાર ખેડૂતોના હિતમાં કામ કરી રહી નથી. રાજ્યમાંવધુ વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડુતોનો પાક બરબાદ થયો હતો. સરકારે સર્વે કરીને ૧૫ દિવસમાં વળતરની જાહેરાત કરી હતી, પરંતુ ખેડુતોને વળતર મળ્યું નહિ.

સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ગાંધી અને સરદારની ભૂમિ છે, જ્યારે પણ સરકાર ખેડુતો અને અન્ય લોકોને અન્યાય કરશે. લોકો રસ્તાઓ પર ઉતરીને વિરોધ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને કારોબારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અમારી પાસે જમીન ભલે નહીં હોય, પરંતુ ઝમીર જરૂરી છે.

કોંગ્રેસ ખેડૂત વિરોધી કાયદા સહન કરશે નહીં. કેન્દ્ર સરકારની નીતિઓને કારણે દેશ આર્થિક રીતે નબળો પડી ગયો છે. પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રના કૃષિ બિલને કાળા કાયદા ગણાવીને રદ કરવાની માંગ કરી હતી. બીજી તરફ, ગુજરાતના સેંકડો ખેડૂત ખેડૂત આંદોલનને સમર્થન આપવા દિલ્હી બોર્ડર પર પહોંચી રહ્યા છે. ૮ ડિસેમ્બરે ગુજરાત કોંગ્રેસ પણ રાજ્યભરમાં દેખાવો અને આંદોલન કરવા માટે નિર્ણય કર્યો છે.