તમિલનાડુનાં રાજકારણમાં પગ મુકવાની વાત કરીને હલચલ મચાવનારા 70 વર્ષિય મેગાસ્ટાર રજનીકાંતએ મંગળવારે જાહેરાત કરી કે તેઓ રાજકીય પાર્ટીની જાહેરાત નહી કરે આ પહેલાં તેમણે જાહેરાત કરી હતી કે તેઓ 31 ડિસેમ્બરનાં પોતાની રાજકીય પાર્ટીની જાહેરત કરશે.

તબિયત નાદુરસ્ત હોવાથી હવે રાજકીય પાર્ટી નહિ બનાવે રજનીકાંત, તેમણે કહ્યું કે, રાજકારણમાં શામેલ થયા વગર તેઓ જનસેવા કરશે. તેમણે એક નિવેદન જાહેર ક્યું કે, હું ખુબજ દુ:ખ સાથે કહી રહ્યો છુ કે હું રાજકારણમાં નથી આવી શકતો. મને ખબર છે કે, આ જાહેરાત હું કેટલાં દુ:ખી મનથી કરી રહ્યો છું. મારા આ નિર્ણયથી મારા ફેન્સ અને લોકોમાં નિરાશા થશે. પણ કૃપ્યા મને માફ કરી દો.

આપને જણાવી દઈએ કે, ગત અઠવાડિયે જ તેમને બ્લડપ્રેશરમાં ફ્લક્ચ્યુએશનની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એક ફિલ્મની શૂટિંગ માટે તેઓ હૈદરાબાદમાં હતાં આ દમરિાયન તેમની ફિલ્મની ટીમનાં 8 ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતાં જે બાદ રજનીકાંતનો પણ કોરોના ટેસ્ટ થયો હતો. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે બાદમાં તેમને બ્લડપ્રેશરની સમસ્યા થઇ હતી. જે માટે તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. રવિવારે તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે જે બાદ તેઓ તેમનાં ઘરે પરત ફર્યા હતાં જ્યાં તેમની પત્નીએ આરતી ઉતારીને તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેમણે આજે જાહેરાત કરી કે તેઓ સક્રિય રૂપે રાજકારણમાં નહીં જોડાય પણ તેઓ જનસેવા કરશે.