BKUના નેતા રાકેશ ટીકૈતે શનિવારે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તેમણે ખેડુતોને કહેવું જોઈએ કે તેઓ કૃષિ કાયદાને કેમ પાછો ખેંચવા માંગતા નથી અને અમે વચન આપીએ છીએ કે વિશ્વ સમક્ષ સરકારનું માથું નમાવવા દેશે નહીં. ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસાને કારણે નબળું પડેલું ખેડૂત આંદોલન ફરી એકવાર વેગ પકડી રહ્યું છે. ત્યારે ટીકૈતે સરકારને કહ્યું હતું કે, સરકારની એવી કઇ મજબૂરી છે કે, નવા કૃષિ કાયદાને રદ ન કરવા પર મક્કમ છે?

વધુમાં ટિકૈતે કહ્યું, સરકાર પોતાનો મુદ્દો ખેડૂતો સુધી પહોંચાડી શકે છે. અમે (ખેડુતો) એવા લોકો છીએ જે પંચાયતી રાજમાં વિશ્વાસ કરે છે. દુનિયા સામે આપણે ક્યારેય સરકારને શરમજનક સ્થિતિમાં માથું નમાડવા દઈશું નહીં.

ટિકૈતે કહ્યું, સરકાર સામે અમારી વિચારધારાની લડાઈ છે. અને આ લડત લાકડીઓ, બંદૂકોથી લડી શકાતી નથી અથવા તેના દ્વારા દબાવવામાં આવી શકે નહીં. જ્યારે નવા કાયદા પાછા ખેંચવામાં આવશે ત્યારે જ ખેડૂત ઘરે પરત ફરશે.