વલસાડ: વલસાડ જિલ્લાના અંબાચ ગામમાં અગાઉ અહીં ચાલતી ક્વોરી સામે વિરોધના લોકસૂર ઉઠયા છે અને આજે આ મુદ્દો લઈને ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં ભરી ન્યાયની ગુહાર લગાવી છે

મળતી માહિતી મુજબ અંબાચ ગામના 100 થી વધુ લોકોએ આજરોજ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદશન કર્યું અને સૂત્રોચ્ચાર કરી ક્વોરી બંધ કરવાની કરી માંગ કરવામાં આવી હતી. ગ્રામજનોનું જણાવ્યું છે કે આ ક્વોરીમાં અવાર-નવાર બ્લાસ્ટિંગના કારણે 80 થી વધુ ઘરોમાં નુકશાન થયું છે તેમજ ક્વોરી વધુ ઊંડાણમાં જતા ગામના પાણી પણ નીચે ઉતરી ગયા છે.

આ ઉપરાંત કોલક ખાતે નદીમાં ચાલતી ક્વોરીને લઈ કોઈ પગલાં ભરવામાં નહિ આવતા રાતા, અંબાચ, અને સલવાવ ગામના લોકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. આવનારા દિવસોમાં આંદોલન ઉગ્ર બનવાની વાત વચ્ચે ગ્રામજનોએ વલસાડ કલેકટરને રજૂઆત કરી ક્વોરી અહીંથી હટાવવા માટે માંગ કરતુ આવેદન પત્ર પાઠવ્યુ હતું.