પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વાંસદા: વર્તમાન સમયમાં કોરોના સમગ્ર વિસ્તારમાં કહેર પ્રસર્યું છે ત્યારે વાંસદા તાલુકાના ઘોડમાળ ગામના એક યુવાનની અન્ય કણધા નામક ગામમાંથી ખેતરમાંથી લાશ મળ્યા બાદ સમગ્ર પંથકમાં હત્યા થયાની પ્રકાશમાં આવેલી ઘટનાએ ચર્ચાની ચકચાર ફેલાવા પામી છે.

Decision Newsને ઘોડમાળ ગામના સરપંચશ્રી મળેલી માહિતી મુજબ ઘોડમાળ ગામના ઈરખાચ ફળીયામાં રહેતા ઉંમર(૨૨) નીલેશભાઈ દૈયજુભાઈ દરવડા હત્યા થઇ છે એમનું કહેવું છે કે યુવક રાત્રે પોતાના ઘરે ટીવી જોઈ રહ્યો હતો અને ફોન આવતા વાત કરવા બહાર નીકળ્યો હતો ત્યાર પછી તે હત્યા સ્થળે કેવી રીતે પોહ્ચ્ચો તેની માહિતી નથી પણ કણધા ગામના સાવરપાડા ફળિયાની ડુંગરી પાસેથી મળેલી તેની લાશના માથાના કપાળના ભાગે, ડાબી આંખ પર ઘા અને ગળાના ભાગે કાળા ડાગ તથા નાકમાંથી પણ લોહી નીકળેલી હાલતમાં લાશ મળી હતી.

નિલેશના પિતા દયજુભાઈ દરવડા Decision Newsને જણાવે છે કે નિલેશની અજાણ્યા ઇસમો દ્વારા હત્યા કરવામાં આવી છે તેની લાશ અમને કણધા ગામના ખેતરમાંથી મળી આવી હતી તેના શરીર પર અસંખ્ય ઘા જોવા મળ્યા હતા આથી તેની લાશ હત્યા કર્યા બાદ કણધા ગામના સાવરપાડા ફળિયામાં ઉમરાની કોહાડીની ડુંગરી પાસેના ખેતરમાં ફેંકી દેવાઈ હોવાની આશંકા છે અમને દિકરા નિલેશની લાશ અંગે ગામના યુવાન વિજયભાઈ દ્વારા મળી હતી. નિલેશના પિતાનું કહેવું છે કે નિલેશના લગ્ન કણધા ગામમાં જ થવાના હતા પણ તારીખ લંબાતા લગ્ન થઇ શક્યા ન હતા તેમનો ઈશારો કદાચ લગ્નના કારણે પણ મારા દિકરાની હત્યા થયા હોવાના તરફનો હોય શકે.આ ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસ બનાવ સ્થળે પોહચી ગઈ હતી અને પોતાની કાર્વાહી કરી લાશને PM માટે વાંસદા હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની હકીકત હવે આવનારા સમયમાં પોલીસ તપાસમાં બહાર આવશે તેની રાહ સ્થાનિકો જોઈ રહ્યા છે.