ડાંગ: ડાંગ બસપા પાર્ટીના આજ રોજ ડાંગના અનુસુચીના પ્રમુખ BJP કાર્યકર્તા શ્રી પ્રવીણભાઈ આહિરે જેઓએ ડો. ભીમરાવ આંબેડકર સાહેબના અપમાન કાર્યને લઈને બસપા પાર્ટીના આહવાના પ્રમુખ અને સાથી કાર્યકર્તા નારાજ થયાની જાણકારી સામે આવી છે. તેમણે આ મુદ્દે વહીવટીતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં પટાવાળાથી કલેકટરની પોસ્ટ સુધી બાબા સાહેબના સંઘર્ષના આધારે અધિકાર મેળવ્યા છે અને મતદાન કરવાનો અધિકાર પણ અપાવવામાં પણ બાબા સાહેબના પ્રયાસોનો બહુમુલ્ય યોગદાન રહ્યું છે એમણે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત લોકો માટે સંઘર્ષ કરી દરેક લોકોને પોતાના નેતા પસંદ કરવાનો હક અપાવ્યો છે તેનું અપમાન બસપા પાર્ટી સહન કરશે નહિ.

બસપા પાર્ટી આહવાના પ્રમુખ Decision Newsને જણાવ્યું કે અમારી પાર્ટી એલાન કરવામાં આવે છે કે ૧૦ જુન સુધીમાં સોશ્યલ મીડિયા કે અન્ય મીડિયાના માધ્યમ પર જો બાબા સાહેબનું અપમાન કર્યા બદલ BJP કાર્યકર્તા શ્રી પ્રવીણભાઈ આહિર માફી માંગવામાં ન આવે તો બસપા પાર્ટી આંદોલનના રસ્તે જશે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ચુપ નહિ બેસે.