ગુજરાત: આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાત દરમિયાન આપની બેઠકમાં છેલ્લા 16 વર્ષી પત્રકારત્વ સાથે જોડાયેલા ઇસુદાન ગઢવીએ સર્કિટ હાઉસ ખાતે કેજરીવાલની હાજરીમાં જ આપમાં જોડાયાની માહિતીથી સમગ્ર રાજકીય વર્તુળમાં ચર્ચાનો ગરમાવો પ્રસરી ગયો છે.

Decision Newsને મળેલી માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલની ગુજરાતની મુલાકાત દરમિયાન તેમની હાજરીમાં કેટલાંક જાણીતા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું તેવામાં તાજેતરમાં જ પત્રકારત્વને અલવિદા કહીને નવા લક્ષ્‍યાંક તરફ આગળ વધાનારા ઇસુદાન ગઢવીએ આખરે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

આવનારા સમયમાં ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિ ગરમાઈ શકે છે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ થાય તેવી શક્યતા છે. કારણ કે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતારવા તૈયારી શરુ કરી દિધી છે.