પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ગુજરાત: આજે અમદાવાદ શહેરમાં આપના કાર્યકરો માટે ઉત્સવનો માહોલ સર્જાયો છે કારણ કે દિલ્લીના દિલ્લીના CM કેજરીવાલ આજે અમદાવાદમાં આવી રહ્યા છે આપ પાર્ટીમાં જોડાનાર નવા ચહેરાઓ સાંજ સુધીમાં નામો જાહેર થઇ જશે એવા અનુમાનો લગાવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે કેજરીવાલ આજે તા.14 મી એ સવારે 10.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે, ત્યાંથી સીધા તેઓ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે જશે અહીં નેતાઓ અને આમ આદમી પાર્ટીમાં જોડાનારા કાર્યકરો સાથે બેઠક કરી આગામી રણનીતિ અંગે ચર્ચા કરી શકે છે. ત્યારબાદ 11.30 વાગ્યે વલ્લભ સદન ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાત મુલાકાત અને આગામી રણનીતિ અંગે આમ આદમી પાર્ટીનું ભૂમિકાની જાણકારી આપશે. બપોરે નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવી અને અન્ય લોકો પણ આમ આદમી પાર્ટીમાં એવા અનુમાનો લગાવાઈ રહ્યા છે.

કેજરીવાલ બપોર પછી સુરત પણ જશે. જયાં આપના કોર્પોરેટરો ઉપરાંત સ્થાનિક નેતા-કાર્યકરો સાથે બેઠક યોજશે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને માર્ગદર્શન પણ આપશે. અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત વિધાનસભા માટે આપની તૈયારી સ્વરૂપે જોવાય રહી છે.