સુરત: આજરોજ વહેલી સવારે સાત વાગ્યે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા ત્યારે ગુજરાતના ઉપસ્થિત આમ આદમી પાર્ટીનાના મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરી તેમનું ગુજરાતની ભૂમિ પર વેલકમ કરવામાં આવ્યું હતું.

Decisin Newsને મળેલી માહિતી અનુસાર મનીષ સિસોદિયા એરપોર્ટથી પરથી સીધા જ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને તેઓ નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી ક્લબમાં ૧૨:૦૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ પ્રેસ કોન્ફરન્સ પછી કાઉન્સિલરો સાથે બેઠક કરશે ત્યારબાદ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત લેશે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આજે તેમની હાજરીમાં ઘણા સામાજિક અગ્રણી અને ઉદ્યોગકારો આપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ મહિનામાં જ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 1000 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે.

આજના મનીષ સિસોદિયાના આખા દિવસના શેડ્યુલમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયી, ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા જેવા નેતાઓ સાથે રહશે.